Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત વધુ ૩૯ બાળકોની અરજી મંજૂર

Share

જિલ્લામાં યોજનાના કુલ લાભાર્થીઓ ૯૫૭ થયા, માસિક રૂ.૩,૦૦૦/-ની સહાય મેળવશે

૪૮ બાળકોને શિષ્યવૃતિ સહાય અને ૧ ફોસ્ટર કેર અંતર્ગત અરજીને પણ મંજૂરી અપાઈ
પંચમહાલ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના હેઠળ વધુ ૩૯ બાળકોને માસિક રૂ. ૩,૦૦૦/-ની અને શેરો પોઝિટીવ ઈલનેસ અંતર્ગત ૪૮ બાળકોની શિષ્યવૃતિ સહાયને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોસ્ટર કેર યોજના અંતર્ગત એક અરજી મંજૂર થઈ છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ સમિતીની બેઠકમાં સપ્ટેમ્બર-૨૦૨૦માં કુલ ૩૯ અનાથ અને નિરાધાર બાળકોની રૂ. ૩,૦૦૦/-ની માસિક સહાય મંજૂર કરવામાં આવી હતી. હાલમાં કુલ ૯૫૭ અનાથ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકોના અભ્યાસ અને સંતુલિત વિકાસ કરવાના હેતુથી પાલક માતા-પિતા યોજના હેઠળ માસિક રૂ.૩,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં પાલક માતા પિતાની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/-થી વધુ હોવી જરૂરી છે.
બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૪૮ બાળકોને શિષ્યવૃતિ સહાય પણ મંજૂર કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની શેરો પોઝિટીવ ઈલનેસ યોજના અંતર્ગત અસરગ્રસ્ત માતા-પિતાના બાળકોને અભ્યાસ મુજબ શિષ્યવૃતિનો લાભ આપવાની જોગવાઈ છે. વધુમાં ફોસ્ટર કેર યોજના અંતર્ગત ૧ અરજીને મંજૂરી આપવામાં આવી હતી. ફોસ્ટર કેર યોજના બાળ સંભાળ ગૃહમાં રહેતા ૬ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને પારિવારિક ઉછેર મળી શકે તે માટેની યોજના છે.

Advertisement

રાજુ સોલંકી:- પંચમહાલ


Share

Related posts

ભરૂચનાં નબીપુર સબ પોસ્ટ ઓફિસનાં પોસ્ટમેન વયમર્યાદાને કારણે નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

અંક્લેશ્વરની બેઈલ કંપનીનો ગુજરત સરકાર સાથે MOU

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓની શોભાયાત્રા દરમ્યાન ઝટપટ પાવડરનાં ઉપયોગ પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!