Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોદી શાસનના સાત વર્ષ પુર્ણ થવા નિમીત્તે ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 30 મે 2021ના રોજ શાસન કાળના સાત વર્ષ પૂર્ણ થયા છે. સાત વર્ષના શાસનકાળમાં સરકાર દ્વારા ખૂબ જ સેવાકીય કાર્યોની ખુશી માં આજે ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે પંચમહાલ જીલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન ગોપાલસિંહ સોલંકી, ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજીની ઉપસ્થિતિમાં ગોધરા નગર અને તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા હી સંગઠન અંતર્ગત આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સુશાસન ને ૭ વર્ષ પૂર્ણ થવા પર ગોધરા નગર અને તાલુકા યુવા મોરચા દ્વારા ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જીલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન ગોપાલસિંહ સોલંકી, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી, પંચમહાલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, પૂર્વ યુવા મોરચાના પ્રમુખ દીપેશસિંહ ઠાકોર, ગોધરા શહેર ભાજપના પ્રમુખ દિલીપભાઈ દસાડીયા, ગોધરા તાલુકા યુવા મોરચા ના મહામંત્રી અને તાલુકા પંચાયત ગોધરા ના દંડક ગૌરાંગભાઈ પટેલ તેમજ ગોધરા નગર અને તાલુકા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ગોધરા : પાવરહાઉસ વિસ્તારમાં આવેલા રસ્તા પરના તૂટેલા ગટરના ઢાંકણાનું સમારકામ કરવાની લોકમાંગ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર તાલુકાનાં સારોદ ગામની સીમમાં આવેલ નહેરનાં પાણીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનની લાશ મળી આવી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાનું 40 કિલો પ્લાન્ક અને આઇસોમેટ્રિક બોસુ બોલ સ્ક્વોટ્સ સાથે તે સ્નાયુ માટે તે બસ્ટ કેવી રીતે કરવું મેળવવું તે અંગેનું ચિત્ર પ્રેરણા આપશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!