Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : જૂની વાતનો ખાર રાખી ત્રણ શખ્શોએ વૃદ્ધ પર કર્યો હુમલો

Share

રાજકોટમાં રહેતા વૃદ્ધના દીકરા પર ત્રણ શખ્સોએ હૂમલો કર્યો હતો જેની પોલીસમાં નોંધ કરવી હતી ત્યારે હુમલો કરનારએ પોલીસ ફરિયાદ પાછી ખેંચવા અને માફી માંગવા વૃદ્ધને કહ્યું હતું તેમ ન કરતા અને જૂની અદાવતનો ખાર રાખી ત્રણેય શખ્શોએ વૃદ્ધના ઘરે જઈ તેમના પર હૂમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર રાજકોટના ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા વૃદ્ધ જ્યારે પોતાના ઘરે રાત્રે સૂતા હતા ત્યારે ત્રણ શખ્સોએ તેમના પર પાઇપ વડે હુમલો કાર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં થોડા માસ પહેલા વૃદ્ધના દીકરા પર નાથાભાઇ વાઘેલા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો જેની વૃદ્ધ અને તેના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદ પાછી લેવા અને માફી માંગવા નાથાભાઇ અને તેમના સાથીઓ વૃદ્ધને ધમકાવતા હતા ત્યારે આમ ન કરતા અને જૂની અદાવતનો ખાર રાખી નાથાભાઇ સહિત શખ્શોએ વૃદ્ધના ઘરે ઘૂસી વૃદ્ધ રાત્રે સૂતા હોય ત્યારે ઘરમાં ઘુસી પાઇપ વડે મારમાર્યો હતો જેથી વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના જૂના બોરભાઠા ( ભાણા પટેલ ના બેટ ) ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું જણાવી રહ્યા છે. 

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગોધરા ખાતે જાતિવાદ મૂદ્દે ધરણા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સિંહ મતદાર નથી એટલે સરકારને તેની ચિંતા નથી: ગીરમાં વધુ બે સિંહનાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!