Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર સેમીનાર યોજાયો

Share

યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ,રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર યોજાયો હતો. જેમાં મુખ્યત્વે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરની પ્રખ્યાત કંપનીઓના એચ.આર.પ્રોફેશનલ્સ, સર્વિસ પ્રોવાઇડરો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આશીર્વચન અને આધ્યાત્મિક વિચારોના આદાન-પ્રદાન માટે BAPSના શ્રી પ્રખર અભ્યાસુ સંતશ્રી અપૂર્વમુની સ્વામીશ્રી, સ્વામી નારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રવિણદાન ગઢવી, યુનિટ હેડ,યુપીએલ લીમીટેડ, વિષય અનુરૂપ ટીપ્પણીઓ માટે શ્રી હસુભાઈ દવે, પ્રમુખશ્રી કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીનશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર દ્વારા ખાસ ઉપસ્થિત રહી સર્વેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય આયોજકો દિલીપભાઈ પંચમીયા, સેક્રેટરી,કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ડૉ.રાજુભાઈ દવે વિભાગીય વડા, સમાજકાર્ય ભવન, રાજેન્દ્રભાઈ ગઢવી, ડીપાર્ટમેન્ટ હેડ-રાજકોટ નાગરિક બેંક, સહદેવસિંહ જાડેજા, પ્રમુખ,ભારતીય મઝદૂર સંઘ, ગુજરાત પ્રદેશ,તથા ધર્મેશભાઈ પટેલ, રજીષ્ટ્રાર, યુપીએલ યુનિવર્સીટી, અંકલેશ્વર વગેરે તરફથી સર્વે ઉપસ્થિત લોકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ દવે, વિજયભાઇ રાબડિયા, RNSB ના અગ્રણીઓ સર્વે કિશોરભાઇ મુંગલપરા, ધોળકિયાસાહેબ, ગીતાંજલી કોલેજના શૈલેષભાઈ જાની, ભારતીય મજદૂર સંઘના સહ પ્રભારી, વાલજીભાઇ ચાવડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પ.પૂ.શ્ર અપૂર્વ મુનિ સ્વામી દ્વારા વિધાર્થીઓ,વાલીઓ ઉપરાંત એચ.આર.પ્રોફેશનલ્સ સહિત તમામને વ્યક્તિતવ વિકાસ ઘડતર, શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સામાજિક પાસાઓને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય શક્તિના પાવરથી સરળતાથી આગળ વધી શકાય તેમજ HRનું મહત્વ દરેક જગ્યાએ ઘરપરિવાર હોય કે મોટી કંપની કે કોઈ મોટા સામાજિક મેળાવડા હોય બધે જ મહ્ત્વનું છે સાથે સાથે વિધાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે કોર્સ નક્કી કરતી વખતે પોતાની રૂચિ અનુરૂપ પસંદગી કરવી જોઈએ, તેમજ વાલીઓ માટે પણ કોર્સ પસંદગી કરવી એક વિકરાળ પ્રશ્ન હોય તેઓને પણ વિવિધ દાખલાઓ આપી કઈ રીતે બાળકને તેના વિકાસમાં મદદરૂપ થઈ શકાય ઉપરાંત જીંદગીની નિષ્ફળતાઓ દરમ્યાન નાસીપાસ થયા વગર સત્તત હકારાત્મકતાથી આગળ વધવું જોઈએ તે માટે ખાસ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

Advertisement

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રવિણદાન ગઢવી, યુનિટ હેડ, યુપીએલ લીમીટેડ,તથા ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીન, યુપીએલ યુનિવર્સીટી, અંકલેશ્વર દ્વારા વિધાર્થીઓને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્સ – ડિપ્લોમા, બી.ઇ., એમ.ઇ. બી.સેસ.સી. એમ.એસ.સી, પી.એચ.ડી તેમજ યુનિવર્સીટી દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃતિ વિષે માહિતગાર કરવા ઉપરાંત પ્રવીણદાન ગઢવી દ્વારા સમાજમાં વિવિધ પાસાઓ પર યોગ્ય નિર્ણાયશક્તિ દ્વારા કેવી રીતે હેતુઓ પાર પાડી શકાય તેના વિષે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. તેઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને યુ.પી.એલ. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસ્ક્ર્મોમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી તથા જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે તે અંગે વિગતો આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં અગ્રણી હસુભાઈ દવે, પ્રમુખ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), દ્વારા જી-20 એ આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક કો-ઓપરેશનનું અત્યંત મહત્વનુ ફોરમ છે. વર્ષ 2007 તથા 2009 ની આર્થિક મંદીમાંથી સમગ્ર વિશ્વને બહાર લાવવાની કામ G-20 સંગઠને કરેલ હતું.ત્યાર બાદ વસુદેવ કુટુંબકમનો દાખલો આપી ભારત જન,જલ,જમીન,જાનવર અને જંગલનો સામૂહિક વિકાસ થાય તે વડાપ્રધાન નરેંન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ કામગીરી થઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ G-20 અને L-20 વિષે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.


Share

Related posts

ભરૂચ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ……

ProudOfGujarat

ગોધરા : બાબાસાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ.

ProudOfGujarat

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો, મંગળા આરતીમાં ભક્તો થયાં ભાવવિભોર, હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!