રાજકોટ નાગરિક સહકારી બેંક લોકોને ધંધામાં રૂપિયાની મદદ થાય તે માટે ઉછીના રૂપિયા લોન સ્વરૂપે આપે છે પરંતુ કેટલાક લોકો એ લોન ન ચૂકવતાં તેમના ખાતા ડિફોલ્ટર થઈ જાય છે અને ન છૂટકે બેંકને ચેક રિટર્નનો કેસ કોર્ટમાં દાખલ કરવો પડે છે. તેવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટની બે મહિલાઓએ રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ૧ લાખ રૂપિયા લોન સ્વરૂપે લીધા હતા જે ન ચૂકવતાં તેમને કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો. મળતી માહિતી અનુસાર રાજકોટ નાગરિક સહકારી બેંક લી. માંથી કિરણબેન ડાભી અને કનક બા જાડેજા બન્નેએ ૧ લાખની લોન લીધેલી હતી જેની ચૂકવણી પેટે ચેક આપ્યા હતા પરંતુ બેંકના ખાતામાં રૂપિયા ન હોવાથી ખાતા ડિફોલ્ટર થયા હતા. જેથી રાજકોટ નાગરિક સહકારી બેંક લી. એ ચેક રિટર્નનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલી જતાં જજે બંને ડીફોલટરને ૬ માસની સજા ફટકારી હતી અને વળતર પેટે બેંકને લોનની રકમ ૯ ટકાના સદા વાર્ષિક વ્યાજ પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો.
રાજકોટ : બેંકમાંથી લોન લઈ ન ચૂકવેલ બે વ્યક્તિને ૬ મહિનાની સજા, વળતર રૂપે ચેકની રકમ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો.
Advertisement
