Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ કુલ-૩૭ જેટલા લાભાર્થીઓ માટે વિવિધ યોજનાકીય સહાયના લાભો અપાશે.

Share

જિલ્લાની સામાજિક સેવાભાવી સંસ્થાઓ, પદાધિકારીઓ, જિલ્લાના અગ્રણીઓ અને પ્રજાજનોના સહયોગથી જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અન્વયે “સેન્ટ્રલ કિચન” મારફત રાજપીપલાના નિરાધાર વ્યક્તિ-પરિવારને બે ટંક ભોજન અને જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ બાદ આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવાયેલ વિવિધ સરકારી યોજનાઓના ભાગરૂપે આવી ૩૭ જેટલી નિરાધાર વ્યક્તિઓને વિવિધ યોજનાકીય લાભોના મંજૂરી હુકમો કરાયાં છે.

તદઅનુસાર, વિવિધ પ્રકારની ફેરી માટે ૫ લાભાર્થીઓને રૂા.૧૩,૮૦૦/- લેખે કુલ રૂા.૬૯ હજારની સાધન સહાય, વિકલાંગ બસ પાસ યોજના અન્વયે ૫ દિવ્યાંગોને આજીવન બસ પાસ અને ૨ (બે) દિવ્યાંગોને માસિક રૂા.૬૦૦/- લેખે આર્થિક સહાય, આયુષ્યમાન ભારત યોજના કાર્ડ અન્વયે ૧૧ લાભાર્થોઓને રૂા. ૫ લાખ સુધીની મેડીકલ સહાયનું આયુષ્યમાન કાર્ડ, યુવિન કાર્ડ યોજના હેઠળ ૧૨ લાભાર્થીઓને યુવિન કાર્ડ, માનવ કલ્યાણ યોજના હેઠળ ૮ લાભાર્થીઓને સહાય, વિવિધ સ્વરોજગારલક્ષી સહાય, આધારકાર્ડ યોજના હેઠળ ૮ લાભાર્થીઓને આધાર કાર્ડ, ગંગા સ્વરૂપ સહાય યોજના હેઠળ ૪ મહિલા લાભાર્થીઓને માસિક રૂા.૧૨૫૦/- લેખે આર્થિક સહાય, કડિયાકામ માટે ૧ લાભાર્થીને રૂા.૧૪,૫૦૦/- ની સાધન સહાય, અંત્યોદય કાર્ડ યોજના હેઠળ ૧ લાભાર્થીને અંત્યોદય કાર્ડ, દૂધ-દહી બનાવવાના ધંધા માટે રૂા.૧૦,૭૦૦/- ની સાધન સહાય, વ્યક્તિગત આવાસ યોજના હેઠળ ૨ (બે) લાભાર્થીઓને રૂા.૧.૨૦ લાખ લેખે કુલ રૂા.૨.૪૦ લાખની આવાસ સહાયના લાભો મંજૂર કરવામાં આવ્યાં છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે યુવકના આત્મહત્યા કેસમાં નવો વળાંક

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા પ્રમુખનાં વોર્ડમાં અંધેર વહીવટ ઠેરઠેર ગંદકીનાં ઢગલા…. જાણો વધુ.

ProudOfGujarat

વડોદરામાં ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!