Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું ટ્રાયબલ ભથ્થુ પુનઃ મળે તેવી માંગ.

Share

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓઅને અધિકારીઓને 15 વર્ષ પહેલા ટ્રાયબલ ભથ્થુ મળતું હતું. પરંતુ હવે સરકારે છેલ્લા ઘણા વર્ષથી સરકારી કર્મચારીઓને ટ્રાયબલ ભથ્થુ આપવાનું બંધ કરી દીધુ છે. નર્મદા જિલ્લો ટ્રાયબલ વિસ્તાર ગણાય છે. જેમાં મોટાભાગના અધિકારીઓ પાસે એક કરતાં વધારે ચાર્જ હોય છે. આ અધિકારીઓ છે પાસે એક કરતાં વધુ ચાર્જ હોવાથી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે પણ તેમને કોઈ ટ્રાઈબલ ભથ્થું મળતું નથી. તેમની પાસે બમણું કામ લેવાય છે તેનું કોઈ વધારાનું મહેનતાણું તો મળતું નથી પણ ટ્રાઈબલ ભથ્થું આપવું જોઈએ.બીજા મોટા શહેરો અને મોટા જિલ્લાઓમાં તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ ભથ્થું પણ વધારે મળતું હોય છે જયારે નર્મદા જેવા નાના જિલ્લામા આ એલાઉન્સ પણ ઓછું મળે છે એટલે એમાં પણ એમને આર્થિક નુકશાન તો છે જ ત્યારે એક તો એક કરતા વધારે હોદ્દાઓ અને ચાર્જ સંભાળતા અધિકારીઓને કામનું ભારણ વધારે હોય છે. ત્યારે ટ્રાઈબલ ભથ્થું આપવું જોઈએ એવુ અધિકારીઓની લાગણી છે.

આ અંગે રાજકીય નેતાઓ ખાસ કરીને સાંસદો અનેક ધારાસભ્યો કર્મચારીઓના ટ્રાઈબલ ભથ્થું અંગે વિચારે અને સરકારમાં રજૂઆત કરે તો આ અધિકારીઓને ટ્રાઈબલ ભથ્થુ મળી શકે તેમ છે. રાજકીય નેતાઓએ આ માટે પણ વિચારવું જોઈએ એવુ અધિકારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા લધુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રકતદાન શિબીર યોજાઈ.

ProudOfGujarat

F.B પર મહિલાના નામ નું ફેક એકાઉન્ટ બનાવ્યું.પછી જાણો શુ થયું

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના ૮૦૦૦ નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારોના નામો સામેલ ના થવાથી લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!