Proud of Gujarat
FeaturedGujaratINDIA

પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે ખેડૂતોને પાણી આપવા મુખ્યમંત્રીનો નિર્ણય.

Share

સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.

તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી માનનીય મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે એક પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે. આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક ધારાસભ્યો,પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો થી સ્થાનિકોના પરેશાન, પોતાનું વાહન દૂર મુકવા કરી વિનંતી..

ProudOfGujarat

અમદાવાદ : વિરમગામ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!