Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

Share

૧૧ મી જુલાઇ ના રોજ કરજણ નદીના ઘોડાપૂરમાં ગામલોકો ફસાઈ ગયા હતા અને લોકોના જીવને સંકટમાં મૂકનારી આ જળ આફતથી સહેજ પણ ડર્યા વગર, વરસતા વરસાદમાં મેઘલી રાતે એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફના જવાનોએ જિલ્લા વહીવટીતંત્રને પીઠબળ આપીને, બચાવ કાર્યના બહોળા અનુભવનો વિનિયોગ કરીને લોકોને ઉગારી લીધા હતા અને એમની જીવન રક્ષા કરી હતી. જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ આ શૂરવીર જવાનોને આ જીવનરક્ષક અને પ્રશંસનીય સેવાઓ માટે પ્રશસ્તિપત્રો પ્રદાન કરી બિરદાવ્યા છે. તેમાં જણાવ્યું છે કે, “ઘોર સંકટની ઘડીમાં તમે અપ્રતિમ હિંમત અને સાહસ તેમજ વ્યવસાયિક કુશળતાનો જે અભૂતપૂર્વ સમન્વય કર્યો તે આ સંકટમાં ફસાયેલા લોકોને ઊગારનારો બની રહ્યા છો.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું તા ૧૦-૨ વસન્તપચમીનારોજ આયોજન

ProudOfGujarat

ભરૂચ : એમ.જી રોડ પર આવેલ મોબાઈલની દુકાનોમાં પોલીસનાં દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે, જાણો શું છે કારણ..!!!

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રસ સમિતિ દ્વારા માંગરોળ મામલતદાર કચેરીની સામે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!