Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં હરસિદ્ધિ માતાના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો તલવાર મહાઆરતી કરશે.

Share

રાજવી પરિવારની કુળદેવી માં હરસિધ્ધિના મંદિરના પ્રાંગણમાં છઠ્ઠા નોરતે એટલે કે તારીખ પહેલી ઓક્ટોબરના રોજ ૨૨૫ જેટલાં તાલીમ પામેલા રાજપુત યુવાનો દ્વારા હરસિધ્ધિ માતાજીની તલવાર મહાઆરતી કરાશે. જેની પ્રેક્ટિસ સાથેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દર વર્ષે છેલ્લા આઠ વર્ષથી સમસ્ત રાજપૂત સમાજ ગુજરાત દ્વારા આ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે નવમી મહાઆરતી થશે. નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત, લુણાવાડા, ભરૂચ, વાલિયા, છોટાઉદેપુર, કરજણ, ૨૨૫ રાજપૂત પાદરાના તલવારબાજીના યુવાનો દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિની અર્ચના કરશે.

દર વર્ષે જુદા જુદા થીમ પર મહાઆરતી થાય છે. આ વર્ષે તલવાર મહા આરતીમાં રાજપૂત યુવાનો દ્વારા ૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ
તથા ડમરુંની આકૃતિ બનાવી તલવાર મહાઆરતી કરવામાં આવશે. પહેલીએ સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦ થી વધુરાજપુત યુવાનો સાંજે ૪:કલાકે રાજવંત પેલેસથી શોભાયાત્રા કાઢી હરસિધ્ધિમાતાજીના મંદિરે પહોંચશે. ત્યારબાદ સાંજે ૬ કલાકે ૨૨૫ રાજપૂત યુવાનો તલવાર મહાઆરતી કરશે. તલવાર મહાઆરતીમાં મહારાણા રઘુવીરસિંહજી ગોહિલ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. મા હરસિધ્ધિ રાજવી પરિવારની અને રાજપૂતોની કુળદેવી ગણાતી હોવાથી માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક આ તલવારી, આરતીનું ભવ્ય આયોજન થાય છે. જે લોક આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

દીપક જગતાપ,રાજપીપળા

Advertisement

Share

Related posts

સી.આય.એસ.એફ,ઇકાઈ,ઓ.એન.જી.સી. અંકલેશ્વર દ્વારા જ્વાઈન્ટ મોકડ્રિલનું સફળ આયોજન કરાયું હતું.

ProudOfGujarat

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

કૃષિ મહાવિદ્યાલય, કેમ્પસ ભરૂચ ફાર્મ દ્વારા ખેડુત ગોષ્ઠિનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!