Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમની સપાટી વધી – 5 કલાકમાં 5 ઈંચ વધતા 124.51 મીટર થઈ જળ સપાટી

Share

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી જળ સપાટી 124.51 મીટર થઈ છે. સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 કલાકમાં 5 ઈંચ વધી છે. ડેમની સપાટી 15 સેન્ટી મીટર વધતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 58,705 ક્યુસેક પાણીની આવક થઈ છે.

હેડ પાવર હાઉસથી કેનાલમાં 5,213 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમની જળસપાટી આગળથી આવી રહેલા પાણી તેમજ વરસાદના કારણે વધુ વધી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છે. ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા એક તરફ ખેડૂતો માટે ખુશીની વાત પણ છે કેમ કે, ઉનાળું ખેતી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં નર્મદાના પાણીથી જ થાય છે. ત્યારે ડેમની જળસપાટી છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે ભયજનક સપાટીની નજીક પણ પહોંચે છે ત્યારે ડેમના દરવાજો પણ ખોલવાની ફરજ પડે છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવે છે.

Advertisement

ત્યારે આગામી સમયમાં 16 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી ડેમોના દરવાજાઓ પણ ચોક્સસથી ખોલવાની ફરજ પડશે. ત્યારે અત્યારની સ્થિતિએ ઉપરવાસના પાણીના કારણે પણ પાણીની આવક વધી રહી છે.


Share

Related posts

ઝઘડિયાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ શાળા નજીક ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં પાલેજ જિલ્લા પંચાયત તેમજ પાલેજ – ૨ તાલુકા પંચાયતની બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો…

ProudOfGujarat

ભરૂચના ઘરડા ઘરના વડીલોને વિવિધ ધાર્મિક સ્થળો એ પ્રવાસ માટે રવાના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!