Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના ઘરડા ઘરના વડીલોને વિવિધ ધાર્મિક સ્થળો એ પ્રવાસ માટે રવાના…

Share

જય શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મંડળ તથા યુ.એસ.એ ના દાતા ના સહયોગથી પ્રવાસ નું આયોજન કરાયુ. વડીલો એ દિકરી બચાવો નો સંદેશો પાઠવ્યો…

ભરૂચ ઘરડા ઘર ખાતે રહેતા વડીલો ને ધાર્મિક સ્થળો નો પ્રવાસ કરવા માટે એક લક્ઝરી બસ માં વડીલો રવાના થયા હતા.

Advertisement

ભરૂચની સેવાભાવી સંસ્થા જય શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ ભરૂચ તથા યુ.એસ.એ ના દાતા ના સહયોગથી ભરૂચ કસક સ્થિત આવેલા ઘરડા ઘર ના વડીલો ને ધાર્મિક પ્રવાસ માટે ટુર ઉપાડવા માં આવી હતી

જે ઘરડા ઘર ના વડીલો અંબાજી, બહુચરાજી, ખેડબ્ર્હ્મા, મહોડી, મીની વૈષ્ણોદેવી થઈ ગાંધીનગર બાદ વિવિધ ધાર્મિક સ્થળો ના પ્રવાસ કરી પરત ભરૂચ ફરનાર છે

પ્રવાસે નીકળેલા વડીલો એ પણ ખુશી વ્યક્ત કરવા સાથે જણાવ્યું કે વૃધ્ધ માં-બાપ ની સેવા દિકરી એ જ કરે દિકરા નહી આજે જે ધાર્મિક પ્રવાસ કરાવનારી ઓ પણ દિકરી જ છે અને વડીલોના પ્રવાસનો ખર્ચ કરનાર પણ દિકરી જ છે અને એટલેજ દિકરી બચાવ દિકરી પઠાવો દિકરી એક લક્ષ્મી નો રૂપ હોવાનું વડીલો એ જણાવ્યું હતું

માં-બાપ ની સેવા દિકરા કરતા દિકરી ઓ સારી રીતે કરતી હોય છે માટે દિકરી બચાવો નો સંદેશો વડીલો એ પાઠવ્યો હતો.


Share

Related posts

ભરૂચ : પારખેત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરીવર્તન પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

વડોદરામાં મહિલા બુટલેગરોને પુનઃવસન માટે સહાય કરતી શી ટીમ.

ProudOfGujarat

અમદાવાદ RTO માં ડ્રાઈવિંગ ટેસ્ટ વિના લાયસન્સ ઈશ્યુ કરવાના ગુનામાં ત્રણની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!