Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમની સપાટી વધી – 5 કલાકમાં 5 ઈંચ વધતા 124.51 મીટર થઈ જળ સપાટી

Share

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી જળ સપાટી 124.51 મીટર થઈ છે. સતત ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 કલાકમાં 5 ઈંચ વધી છે. ડેમની સપાટી 15 સેન્ટી મીટર વધતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 58,705 ક્યુસેક પાણીની આવક થઈ છે.

હેડ પાવર હાઉસથી કેનાલમાં 5,213 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમની જળસપાટી આગળથી આવી રહેલા પાણી તેમજ વરસાદના કારણે વધુ વધી શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છે. ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા એક તરફ ખેડૂતો માટે ખુશીની વાત પણ છે કેમ કે, ઉનાળું ખેતી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં નર્મદાના પાણીથી જ થાય છે. ત્યારે ડેમની જળસપાટી છેલ્લા કેટલાક સમયથી વરસાદના કારણે ભયજનક સપાટીની નજીક પણ પહોંચે છે ત્યારે ડેમના દરવાજો પણ ખોલવાની ફરજ પડે છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવે છે.

Advertisement

ત્યારે આગામી સમયમાં 16 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી ડેમોના દરવાજાઓ પણ ચોક્સસથી ખોલવાની ફરજ પડશે. ત્યારે અત્યારની સ્થિતિએ ઉપરવાસના પાણીના કારણે પણ પાણીની આવક વધી રહી છે.


Share

Related posts

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ, પ્રતિ મણનો ભાવ ૨ હજારથી પણ વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરના ઉટીયાદરા પાસે નહેરના કુવામાં યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!