Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજન અને સક્ષમની સુવિધા ઉભી કરાઇ.

Share

કોરોનાને વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે આ મહામારીને પહોંચી વળવા દરેક જિલ્લાઓમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં નવી બનેલ આયુર્વેદિક કોલેજની બિલ્ડીંગમાં હંગામી ધોરણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે ત્યારે હાલ સેન્ટ્રલ ઓક્સિજન અને સક્ષમની નવી લાઈનો કરાઈ છે જેમાં ઓક્સિજન લાઈન આજે શરૂ થઈ ગઈ છે જ્યારે સક્ષમ લાઈન આવતી કાલથી શરૂ થઈ જશે તેમ રાજપીપળા સિવિલ હોસ્પિતલના મુખ્ય તબીબ ડૉ.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું ઉપરાંત આઇસોલેશન વોર્ડમાં દાખલ 4 દર્દીઓ પૈકી 2 દર્દીઓને આજે રજા અપાઈ છે અને અન્ય જે 2 દર્દી દાખલ છે તેમની તબિયત પણ સારી છે તેમ જણાવ્યું હતું અને હાલ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી તેમ પણ ઉમેર્યું હતું. એક વાત તો નક્કી છે અંતરિયાળ એવા નર્મદા જિલ્લાને કોરોનાનાં કારણે આઈ.સી.યુ અને સારો આઇસોલેશન વોર્ડ મળ્યો એ ચોકકસ કહી શકાય.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

કુપોષણ મુક્ત ખેડા અભિયાન અંતર્ગત ૧૪૦ થી વધારે બાળકોના વજનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

ProudOfGujarat

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે વિરમગામના ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયુ

ProudOfGujarat

પાલેજ : એટ્રોસિટી એકટના કેસમાં કંબોલી સરપંચનો નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!