Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : કેવડિયામાં વધુ ૦૩ સહિત નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં સોમવારે નવા ૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૯ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં ટેકરા પો.લાઈન ૦૧, દોલત બજાર ૦૧, નાંદોદના ધમણાચા ૦૧, ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૩ અને તિલકવાળા કસુંદર ૦૧, વજેરિયા ૦૨ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૯ દર્દી પોઝિટિવ નોંધાયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૩૨ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૭ દર્દીઓ દાખલ છે. આજે ૧૨ દર્દી સાજા થતા રજા અપાઈ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૫૮ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૭૪૪ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

નડિયાદ : કુષોષિત બાળકોને પોષણક્ષમ કરવા સરપંચ તથા ત.ક.મંત્રીઓની બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા બંધ ઓવરફલોનો અદભુત નજારો જોવા મળ્યો.

ProudOfGujarat

તંત્ર ભાજપ સરકાર માટે કાર્ય કરે છે ! પ્રજાના પ્રશ્નો જેસે થૈ ની સ્થિતિમાં !! વરસાદી પાણીના નિકાલ બાબતે વામણી પુરવાર થતી ભાજપા સરકાર : સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!