Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નાંદોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ચાર દિવસથી નેટવર્ક બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ખાવા પડે છે ધરમનાં ધક્કા : ઓનલાઈન કયારે ચાલુ થશે એક મોટો સવાલ.

Share

નાંદોદ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં ચાર દિવસથી નેટવર્કની તકલીફનાં કારણે ઓનલાઈન સેવા ઠપ થઈ ગઈ હોવાથી તાલુકામાંથી આવતા હજારો અરજદારો વીલા મોઢે પરત ફરી રહ્યા છે.

રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ઉપર સરકારી કામ અર્થે અલગ અલગ દાખલા કે નકલો લેવા આવતા રોજના હજારો અરજદારો ઓનલાઇન સેવા બંધ હોવાના કારણે ચાર દિવસથી ધક્કા ખાઈ પરત ફરતા જોવા મળ્યા હોય એ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા સેવા ક્યારે શરૂ થશે એ માટે કોઈ ચોક્કસ દિવસ પણ ન જાણવા મળતા દૂરદૂરનાં ગામડાઓમાંથી આવતા લાભાર્થીઓ રોજ સમય, ભાડું બગાડી કચેરીના ધક્કા ખાઈ પરત જઈ રહ્યા હોય સરકારે દરેક બાબત ઓનલાઈન કરી છતાં વારંવારના આવા ધાંધિયાના કારણે લોકોના કામ ટલ્લે ચઢી રહ્યા છે માટે સરકાર બેન્કો, સરકારી કચેરીઓ સહિતની ઓનલાઈન સિસ્ટમમાં બદલાવ લાવે અથવા બંધ કરી અગાઉની જેમ મેન્યુઅલી કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

આદર્શ આચારસંહિતાની અમલવારી દરમિયાન ભરૂચ પોલીસે 8419 લોકો લોકો પર અટકાયતી પગલા લીધા

ProudOfGujarat

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા ઊભા કરવામાં કોરોન્ટાઇન સેન્ટરનાં વિરોધમાં કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ મામલતદારને એક આવેદનપત્ર આપી કોરોન્ટાઇન સેન્ટરને દૂર ખસેડવાની માંગ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!