Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ચૈત્ર માસમાં લીમડાનાં રસનું સેવન કરતા નર્મદાવાસીઓ..

Share

– એક મહીનો લીમડાના રસનું સેવન કરવાથી આખુ વર્ષ નિરોગી રહેવાય છે

– કોરોનામા પણ સેવન ગુણકારી.

Advertisement

– ગુણકારી લીમડાના અનેક ફાયદા.

હાલ ચૈત્ર માસ ચાલી રહયો છે. ચૈત્ર માસમાં લીમડાના રસનુ સેવન કરવાનો રિવાજ છે, તેથી નર્મદાવાસીઓ ચૈત્રમાસમાં લીમડાના રસનું સેવન કરતા થયા છે. ચૈત્ર માસમાં ઠંડી અને ગરમી બે ઋતુઓની સંઘી થાય છે. તેનાથી શરદી, ખાંસી, સ્વાઈન ફલૂ ઉપરાંત પાચન શક્તિ નબળી પડી જાય છે. તેથી ઘણા રોગો થવાની શક્યતા છે તેથી મોટે ભાગે લોકો ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન કરે છે. તેનાથી કફ, પીત્ત, અને વાતની બીમારીથી બચી શકાય છે.

આયુર્વેદમાં કહેવાયું છે કે જેના ઘર આંગણે લીમડો હોય તેના ઘરે કદી બીમારી આવતી નથી. લીમડાના કડવાસથી મચ્છરો તેમજ બેકટેરીયા, જીવજંતુઓનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે. આજે પણ ગામડાના લોકો લીમડાનું દાતણ કરે છે. લોકો ચૈત્ર માસમાં લીમડાના પાન તોડી લાવે છે અને તેને પાણીથી ધોઈ તેને છૂંદીને તેનો રસ ગાળીને લીમડાનો રસ પીવે છે.

નર્મદાના આયુર્વેદ અધિકાર ડો.નેહા પરમાર જણાવે છે કે ચૈત્ર માસમાં ઠંડી અને ગરમી બે ઋતુઓની સંઘી થાય છે. તેનાથી શરદી, ખાંસી, સ્વાઇન ફલૂ ઉપરાંત પાચન શકિત નબળી પડી જાય છે, તેથી ઘણા રોગો થવાની શકયતા છે. ડાયાબીટીઝ વાળા દર્દીઓ માટે પણ લીમડાના રસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શકિત જેની ઘટી ગઇ છે તેને ઘણો ફાયદો થાય છે. ૧૫ થી ૨૦ મીલીની માત્રામાં લીમડાના રસનુ સેવન ૭ થી ૧૦ દીવસ સુધી કરવાથી રોગો થવાની સંભાવના ઘટી જાય છે. હાલ લોકો ઘરે ઘરે લીમડાના પાન તોડી લાવી તેમાથી રસ બનાવી લીમડાના રસનું સેવન કરતા થયા છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

બુટલેગરો બન્યા વ્યાજખોરો – ભરૂચનાં મોટાભાગનાં લારી ધારકો ચક્રવ્યુમાં ફસાયા..?

ProudOfGujarat

ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ

ProudOfGujarat

નેત્રંગ પોસ્ટઓફીસ સામે પાનના ગલ્લા પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!