Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા…

Share

– બાપ બેટી સહીત ત્રણ જણા ડૂબી જવાથી સર્જાઈ કરુણાંતિકા.

– આજે એકાદશી હોવાથી નાની રાવલ મંદિરે દર્શન કરવા આવેલ પરિવાર સાથે સર્જાઈ કરુણાંતિકા.

Advertisement

રાજપીપલા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ગામેઆવેલ નર્મદા નદીમાં સુરતના ત્રણ જણા ડૂબી જતા તેઓનાં કરુણ મોત નિપજ્યા છે. જેમાં બાપ બેટી સહીત ત્રણના મોત થતા કરુણાંતિકા સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે એકાદશી હોવાથી દર્શન કરવા માટે આવેલા સુરતનો પરિવાર નાની રાવલ મંદિરે આવ્યો હતો. દર્શન પૂજા કરી ગાડી મૂકીને પરિવારના સદસ્યો ગરમી હોવાથી ન્હાવાની મજા માણવા નર્મદામાં ન્હાવા પડ્યા હતા. નર્મદામાં પાણી ઊંડું હોવાથી ત્રણે જણ આગળ જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી ત્રણેના કરુણ મોત નિપજ્યા હતા. જેમાં બાપ બેટીના મોત થવાથી કરુણાંતિકા સર્જાઈ હતી.

મરનારમાં (1)અનિલભાઈ કેશવજીભાઇ અજુ વાડીયા,ઉ.વ વર્ષ 44, રહે. હીરાબાગ સુરત, (2) મગનભાઈ ભીખાભાઈ નાગલીયા ઉ.વ ૪૫ રહે,પ્રવાસી કતારગામ સુરત અને 3) મગનભાઈની છોકરી આરજુબેન મગનભાઈ નાગલીયા, ઉ.વ. 15,રહે કતારગામ સુરત ત્રણેના મોત નિપજતા ગરુડેશ્વર પીએસઆઈ.એ .એસ. વસાવાએ અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને કબજે કરી ગરુડેશ્વર ખાતે પી.એમ કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપારડી ગામે મદ્રેસાના બાળકોનો પરિક્ષાલક્ષી વાર્ષિક જલ્સો યોજાયો.

ProudOfGujarat

જામનગર : ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની સજા અને દંડ ફટકારતી અદાલત.

ProudOfGujarat

લીંબડી હેલીપેડ ખાતે આવી સી.એમ એ હાઈવે સિકસ લાઈનનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!