Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તરોપા ગામે હાઇવે રોડ પર રાહદારીને હાઇવા ટ્રકે અડફેટમાં લેતા અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત.

Share

તરોપા ગામે હાઇવે રોડ પર રાહદારીને હાઇવા ટ્રકે અડફેટમાં લેતા અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજતા આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરીયાદી સંગીતાબેન ભદ્રેશભાઇ ર વસાવા( ઉ.વ. ૪ર ધંધો-ઘરકામ મુળ રહે.વાગેથા તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે. તરોપા ઉપલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) એ આરોપી હાઇવા ટ્રક નંબર – -16-AU-6703 ના ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદની વિગત અનુસાર આરોપીએ પોતાના કજામાની હાઇવા ટ્રક નંબર GJ-16-A-6709ને તરોપા ગામના કેનાલવાળા નાકા નજીક રાજપીપલા અંકલેશ્વર હાઇવે રોડ ઉપર ટ્રક પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી લાવી રોડની સાઇડમાં ચાલતા ફરીયાદીના પતિ ભદ્રેશભાઇ રૂપલાભાઇ વસાવા (ઉ.વ.૪૫ મુળ રહે.વાગેથા તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે. તરોપા ઉપલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી માથાના ભાગે તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડતા તેમનું સ્થળ ઉપરજ મોત નીપજ્યું હતું. આ અંગે આમલેથા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે નર્મદા નદીની 32 ચોરસ કિમિ જમીન કચ્છના મીઠાઉધોગના માલેતુજારોને ગુજરાત સરકારે ફાળવી દેતા માછીમારોએ આજે સ્થળ પર જઈ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો…

ProudOfGujarat

માતૃભાષા અભિયાન દ્વારા વિનુ બામણીયાનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન…

ProudOfGujarat

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા એસ.ટી બસ સ્ટેશનમાં મુસાફરોનું ટેસ્ટિંગ શરુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!