Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે વરસાદને લીધે મૃત્યુ પામનાર ગાજરગોટાના મૃતકના વારસદારને સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે મુખ્યમંત્રીશ્રીની રાહતનીધિમાં રૂા. ૪ લાખનો ચેક એનાયત

Share

રાજપીપળા, આરીફ જી કુરેશી

રાજપીપલા,નર્મદા જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋુતુમાં ભારે વરસાદને લીધે પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર દેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામના આટીયાભાઇ નકટીયાભાઇ વસાવાના પરિવારના વારસદાર શ્રીમતી દમણીબેન આટીયાભાઇ વસાવાને તાજેતરમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ મૃતકના ઘરે જઇને મુખ્યમંત્રી ની રાહત નીધિમાંથી રૂા. ૪,૦૦,૦૦૦/- ( રૂપિયા ચાર લાખ) નો ચેક એનાયત કર્યો હતો આ પ્રસંગે સંસદસભ્ય ની સાથે દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી હિતેશભાઇ વસાવા તથા તાલુકા પંચાયતના વહિવટી અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : બોરીદ્રા ગામમાં વારંવાર ધ્રુજતી ધરતી ચકાસવા ગાંધીનગર ‘ISR’ ની ટીમ પહોંચી.

ProudOfGujarat

ભરૂચ મુન્શી મહિલા બી.એડ કોલેજમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!