Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પીપલોદમાં ગટર સાફ કરવા ઉતરેલ ત્રણ કામદારો ગૂંગળાઇ જવાથી બે ના મોત.

Share

આજે સુરત ખાતેથી એક દુઃખદ ઘટના સામે આવી હતી, જ્યાં ગૂંગળામણને કારણે બે શ્રમિકોના મોત થતા વિસ્તારમાં માતમ છવાયો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ SVNIT કોલેજની ગટર સાફ કરવા ત્રણ જેટલા કામદારો ઉતર્યા હતા, જ્યાં તેઓને ગૂંગળામણ થતા તેઓની તબિયત અંદર લથડી હતી, જે બાદ ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્રણ પૈકી બે કામદારોના ઘટનામાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક સારવાર હેઠળ છે. કામદારોના મોત બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું, અને સામે દિવાળીના પર્વે જ પરિવારમાં માતમ છવાયો છે, તો ઘટનાની જાણ થતાં જ પાલિકની ટિમ દોડતી થઈ હતી,તો બીજી તરફ સ્થાનિક પોલીસે પણ મામલે નોંધ લઇ મૃતકોની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

22 બેસ્ટ બ્યુરોક્રેટસ ઓફ ઇન્ડિયા 2022 ની યાદીમાં સ્થાન મેળવતા એકમાત્ર ગુજરાતી ભરૂચના કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની ૬૭ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં વિજેતા થયેલ સરપંચો અને તેમને મેળવેલ મત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!