Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નશાબાજ ડ્રાઈવરો પર એસ.ટી. વિભાગની લાલ આંખ

Share

તાજેતરમાં એક નશાબાજ બસ ડ્રાઇવરે છોટાઉદેપુરની બસ વડોદરાના બદલે રાજપીપળા ડેપોમાં લઈ જતાં સુરત એસ.ટી. વિભાગે તેની ગંભીર નોંધ લઈ અને ડ્રાઈવરનો બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કર્યા બાદ જ ફરજ પર ચઢવાનો આદેશ કર્યો છે.
વધી રહેલા અકસ્માતો તેમજ નશાખોર ડ્રાઈવર કંડકટરો સામે એસ.ટી વિભાગે કડક હાથે કામ લેવાનું નક્કી કરી ડ્રાઈવર કંડક્ટરોને નોકરી પર ચઢતા પહેલાં નશો કર્યો છે કે નહીં તેની બ્રેથ એનેલાઈઝર વડે તપાસ કરવાનું અને બ્રેથ એનેલાઈઝરનો રિપોર્ટ નેગેટિવ આવે તો કડક કાર્યવાહી કરવાનું ફરમાન કરતાં નશાખોર ડ્રાઈવર-કંડક્ટરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. સાથોસાથ એ પણ જોવું રહ્યું કે આ નિયમનો અમલ કયાં સુધી થાય છે.

Advertisement

Share

Related posts

રૂપાણી સરકારનો વેપારીઓને કોરોનાની રસી આપવા મુદ્દે મોટો નિર્ણય.

ProudOfGujarat

માંગરોળ : કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વધુ પડતા વરસાદને કારણે ખરાબ થયેલા કોસંબા ઝંખવાવ માર્ગ અને ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમારકામ કરવા કોંગ્રેસનાં અગ્રણી આગેવાનો દ્વારા સરકારી તંત્રને રજુઆત થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!