Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી, ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી.

Share

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી,ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાપડમાં પ્રસરી જતાં આસપાસ ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાંઆવી હતી. ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ યુનિટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા આકરા પગલાં લઈને યુનિટને સીલ કરવામાં આવ્યું હતું.ત્રણ બાજુથી આગ પર પાણીનો મારો કરાયો.
ફાયર ઓફિસર બી.કે.સોલંકીએ જણાવ્યું હતું કે, વરાછા ઉમિયાધામ પાસે આવેલી અજંતા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્લોટ નંબર 144-એ-બીમાં અશોકભાઈની માલિકીનું ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન આવેલું છે. જેમાં ધવલભાઈ નામની વ્યક્તિ ખાતું ચલાવે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગ લાગી ગઈ હતી. જેથી આગ પર કાબૂ મેળવવા મોટા વરાછા સહિતની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી. ડેપ્યુટી કમિશનર સાહેબ રાઉન્ડ પર આવ્યા હોય તેમના માર્ગદર્શનમાં ત્રણ બાજુથી પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.ફાયર સેફ્ટીનો અભાવ હતો.
ફાયર ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોરમાં જ્યાં આગ લાગી ત્યાં કોઈ જ જાતના ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યાં નહોતાં. સાથે જ સાંકડી જગ્યા હોવાથી ગાડીઓને ઘટના સ્થળે પહોંચતા થોડી અડચણો નડી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા: માતાએ ભણવા બાબતે ઠપકો આપતા પુત્રએ ગળેફાંસો ખાધો : પરિવાર સ્તબ્ધ

ProudOfGujarat

દહેજ પંથકમાં એક કામદારે આત્મહત્યા કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો..સીઝન ના પ્રથમ વરસાદે જ સોસાયટી વિસ્તરો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!