Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરા જીઆઇડીસી ની એક મિલમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.

Share

સુરતના પાંડેસરા જીઆઇડીસીની શ્રી લક્ષ્મીનારાયણ મિલમાં આજરોજ સવારે બોઇલર મશીન માં આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરાતા ત્રણ જેટલા ફાયર ટેન્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની પ્રયત્નો હાથ ધર્યા હતા. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગના લાશ્કરોને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ અગાઉ લક્ષ્મીનારાયણ મિલના કર્મચારીઓને એવી જાણ થઈ હતી કે બોઈલર માં આગ લાગી છે તેને પગલે કર્મચારીઓમાં અફરાતફરી જોવા મળી હતી. જોકે કંપની સંચાલકો એ તમામ કર્મચારીઓને સલામત સ્થળે એકત્ર કરી દીધા હતા. સદ્ નસીબે આ આગના બનાવમાં કોઈ પણ કર્મચારીની જાનહાનિ કે ઇજા પહોંચી નથી
જેને પગલે કર્મચારીઓએ તેમજ મિલ સંચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી. જોકે આ આગની ઘટનાને કારણે મોટું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

ProudOfGujarat

અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ સહિત આ રૂટ પર જતાં પહેલાં ચેતજો, જાણો ક્યાં અપાયુ ડાયવર્ઝન

ProudOfGujarat

પાવીજેતપુર તાલુકાનાં કોલીયારી ગામમાં થયેલા મનરેગાનાં કૌભાંડ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરતાં તેમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાતા ગ્રામ રોજગાર સેવક (જી.આર.એસ.) તથા તાલુકા પંચાયતનાં મનરેગા વિભાગનાં ટેકનીકલ આસિસ્ટન્ટને સસ્પેન્ડ કર્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!