Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરા જીઆઇડીસી ની એક મિલમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.

Share

સુરતના પાંડેસરા જીઆઇડીસીની શ્રી લક્ષ્મીનારાયણ મિલમાં આજરોજ સવારે બોઇલર મશીન માં આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરાતા ત્રણ જેટલા ફાયર ટેન્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની પ્રયત્નો હાથ ધર્યા હતા. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગના લાશ્કરોને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ અગાઉ લક્ષ્મીનારાયણ મિલના કર્મચારીઓને એવી જાણ થઈ હતી કે બોઈલર માં આગ લાગી છે તેને પગલે કર્મચારીઓમાં અફરાતફરી જોવા મળી હતી. જોકે કંપની સંચાલકો એ તમામ કર્મચારીઓને સલામત સ્થળે એકત્ર કરી દીધા હતા. સદ્ નસીબે આ આગના બનાવમાં કોઈ પણ કર્મચારીની જાનહાનિ કે ઇજા પહોંચી નથી
જેને પગલે કર્મચારીઓએ તેમજ મિલ સંચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી. જોકે આ આગની ઘટનાને કારણે મોટું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે.

Advertisement

Share

Related posts

દહેજ પોલીસે સ્થાનિક મહિલા બુટલેગરનાં ઘરેથી નાની મોટી વ્હીસ્કીની બોટલો મળી રૂ.29,500નો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગાયને બચાવવા જતાં બાઈક સ્લીપ થતાં ત્રણ ગટરમાં પટકાયા, એકનું મોત : જોલવા નજીક પેવિટ કંપની પાસે સવારે સાતેક વાગ્યે અકસ્માત; દહેજની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમિત વલવીનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!