Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની વરાછા પોલીસ લોકઅપમાં મૃત્યુ પામેલ શખ્સનાં પરિવારજનોએ હોસ્પિટલમાં ધરણાં આદરી પોલીસ તંત્ર સામે લડાયક મૂડ અખત્યાર કર્યો છે.

Share

સુરતના વરાછા પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં મંગળવારે બપોરે એક આરોપીનું મોત નિપજ્યું હતું. આરોપી દારૂ જુગારનો આંકડો ચલાવે છે એવું કહીને પોલીસ, પોલીસ સ્ટેશને લાવી હતી. ત્યારબાદ તેના વિરુદ્ધ સીઆરપીસી 151 કર્યું હતું. બપોરે દોઢ વાગે આરોપી લોકઅપમાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું. પરિવારનો આક્ષેપ હતો કે તેને માર માર્યો હતો. જ્યારે પોલીસનું કહેવું છે કે, ખેંચ આવવાથી આરોપીનું મોત નિપજ્યું છે. જોકે, આજે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી પોલીસ સામે ગુનો નોંધવાની માંગ કરી છે અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા પર બેસી ગયા છે. નારાજ પરિવારજનોએ જણાવ્યું હતું કે જે પોલીસ પિતાને ઉપાડી ગઈ એની સામે ફરિયાદ દાખલ કરો તેમજ દારૂ અને આંકડો રમાડતા પકડાયેલા પિતા પાસેથી કેટલી રકમ જપ્ત કરાઈ એ જાહેર કરો. તેઓએ પોલીસ ગેરમાર્ગે દોરી પિતાને દારૂ વેચતા અને આંકડો રમાડતા હોવાનું કહી રહી છે, તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો.

Advertisement

Share

Related posts

સુરત : ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-૧ માં ૨૫ ટકા બેઠકો માટે અનામત : ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2178 થઈ.

ProudOfGujarat

ભરૂચ : બે વર્ષ પછી નબીપુરમાં મસ્જિદો અને દરગાહ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલાતા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાળુઓ ખુશખુશાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!