Proud of Gujarat
FeaturedGujaratINDIA

વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત ‘એનિમલ કેર સેન્ટર’નું લોકાર્પણ.

Share

વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત ‘એનિમલ કેર સેન્ટર’નું લોકાર્પણ કરાયું હતું. ‘એનિમલ કેર સેન્ટર’ અંતર્ગત વીર-પ્રીતિ ભગવાન મહાવીર એનિમલ હોસ્પિટલ અને રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. એનિમલ કેર સેન્ટર’ પરિસરની મુલાકાત લઈ પ્રાણી-પક્ષીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે મંત્રી માહિતગાર થયાં હતાં.

આ પ્રસંગે મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, ‘માનવસેવા કરનારા ઘણાં લોકો હોય છે, પરંતુ અબોલ પશુપક્ષીઓની સેવા કરનાર જૂજ લોકો હોય છે. પર્યાવરણની જાળવણીમાં સક્રિય પ્રદાન આપનાર સુરત નેચર ક્લબની પ્રાણીસેવા પ્રવૃત્તિ સરાહનીય છે. માનવીએ સ્વવિકાસની સાથોસાથ પર્યાવરણ અને ઈકોસિસ્ટમના અભિન્ન અંગ સમાન પ્રાણી-પક્ષીઓની કાળજી અને સુરક્ષા માટે વિચાર કરશે ત્યારે જ સમતોલ વિકાસ થઈ શકશે.’

ઉપસ્થિત સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાણીમાત્ર પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર કરવો એ આપણી સંસ્કૃત્તિ છે. નેચર ક્લબની પ્રવૃત્તિઓની સરાહના કરી નિ:સ્વાર્થ સેવા બદલ સમગ્ર ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતાં. સેન્ટરના પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તેમણે વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ અને સુરત નેચર ક્લબના પ્રમુખ સ્નેહલ પટેલ, હોદ્દેદારો આશિષ વકીલ, હિરેન પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરતના અમરોલીમાં બે જુથ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ વ્યક્તિની કરાઇ હત્યા.

ProudOfGujarat

અંકલેશ્વર- ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પરત ઘરે આવતાં અને અંકલેશ્વર નું નામ રોશન કરતા વીર જવાન નું સ્વાગત કરવામાં આવ્યું…..

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા અને એસ.ટી. ડેપોના સંયુક્ત ઉપક્રમે તથા ધાર્મિક સંસ્થાના સહયોગથી સફાઈ અભિયાન અને શેરી નાટકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!