Proud of Gujarat
GujaratFeaturedINDIA

અનુષ્કા-સોનમના વીડિયોને હરાવી અંધ કપલના વીડિયોને અવોર્ડ, સુરતના ફોટોગ્રાફરે 6 એવોર્ડ મેળવ્યા…

Share

 
સુરતઃ વિશ્વમાં સૌ-પ્રથમ વખત બ્લાઈન્ડ કપલ માટે પ્રિ-વેડિંગ વીડિયો બનાવનાર સુરતના આશિષ તાજને 3 મિનિટના પ્રિ-વેડિંગ વીડિયો માટે 6 એવોર્ડ મળ્યા છે. મજાની વાત એ છે કે, ફાઈનલ સ્પર્ધામાં અનુષ્કા શર્મા અને સોનમ કપૂરના વેડિંગ વીડિયો પણ નોમિનેશનમાં હતાં. જેને હરાવીને બ્લાઇન્ડ કપલ માટે બનેલો મેરેજ વીડિયો પ્રથમ આવ્યો હતો. યુએસમાં રહેતા પારસ અને ચાંદની પટેલ 100 ટકા બ્લાઈન્ડ છે અને એમના લગ્ન જાન્યુઆરી મહિનામાં થયા હતાં. તાજ મહેલમાં ખાસ પરમિશન સાથે શૂટિંગ કરીને પ્રિ-વેડિંગ વીડિયો બનાવવામાં આવ્યો હતો. જયપુર ખાતે યોજાયેલા સ્પોટ લાઈટ એવોર્ડ સેરેમનીમાં સમગ્ર ભારતના 500 ફોટોગ્રાફરને હરાવી આશિષ તાજને બેસ્ટ વીડિયો ગ્રાફી, બેસ્ટ ફોટોગ્રાફી, બેસ્ટ ઓડિયો વિઝ્યુલ, વેડિંગ ઓફ ધી યર અને પ્રિ-વેડિંગ ઓફ ધી યર સ્પોટ લાઈટ એવોર્ડ મળ્યો છે.
વીડિયોના ઇનોવેશનને કારણે અવોર્ડ મ‌ળ્યો

સામાન્ય માણસના લગ્ન હોય તો એ ફોટોગ્રાફ જોઈ શકે છે. પરંતુ આ કપલ બ્લાઈન્ડ હોવાથી તે જોઈ શકતું નથી. આલ્બમને ફીલ કરી શકે એ માટે ખાસ વિશ્વમાં પહેલી વખત બ્રેઈલ લિપી આલ્બમ તૈયાર કરવામાં આવ્યો હતો. આલ્બમ માટે કપલની વિવિધ મુવમેન્ટમાં 30 ફોટોગ્રાફ પાડવામાં આવ્યા હતાં. ફોટોની ડાબી સાઈડની જગ્યામાં બ્રેઈલ લીપીથી ફોટોગ્રાફની ડિટેઈલ લખવામાં આવી હતી. આ પ્રકારના આલ્બમને બનાવવા માટેયુ. એસની કંપનીને કામ સોંપવામાં આવ્યુ હતું.

Advertisement

એક પણ રિટેક વગર મેરેજ વીડિયો બન્યો

ચાંદની પટેલ અને પારસ પટેલના વીડિયો શૂટિંગ માટે ચાંદની અને પારસને પ્રેક્ટિસ કરાવવામાં આવ્યુ હતું. તેમને હાથ કેવી રીતે આગળ લાવવો છે.ω કેટલાં ડગલાં ભરવાના છે.ω હાથ કેટલો ઊંચો કરવાનો છે અને કેવી રીતે એક્સપ્રેશન આપવાના છે જેવી તમામ બાબતોની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.ત્યાર બાદ એનું શુટિંગ કરવામાં આવતું હતું. ચાંદની અને પારસ બ્લાઈન્ડ હોવા છતાં એક પણ રિટેક પડ્યો નહોતો અને નિયત કરેલા સમયમાં જ ફિલ્મનું કામ પતી ગયુ હતું.

ગુજરાતના ફોટોગ્રાફરને પ્રથમ વાર SL એવોર્ડ

આશિષ તાજ કહે છે કે, ગુજરાતના ફોટોગ્રાફરને સ્પોટલાઇટ દ્વારા આપવામાં આવતો એવોર્ડ પ્રથમ વખત મળી રહ્યા છે. અમારી સાથે કોમ્પિટીશનમાં અનુષ્કા શર્મા અને સોનમ કપૂરના વેડિંગ વીડિયો મેકર્સે પણ એન્ટ્રી મોકલી હતી. એ વીડિયો પણ ફાઇનલમાં હતાં. તેમ છતાં ઇનોવેશનને કારણે આખરે અમે જ વિજેતા બન્યા. થોડા સમય પહેલાં જયપુર ખાતે યોજાયેલા સ્પોટ લાઈટ એવોર્ડ સેરેમનીમાં આશિષ તાજને બેસ્ટ વીડિયો ગ્રાફી, બેસ્ટ ફોટોગ્રાફી, બેસ્ટ ઓડિયો વિઝ્યુલ, વેડિંગ ઓફ ધી યર અને પ્રિ-વેડિંગ ઓફ ધી યર સ્પોટ લાઈટ એવોર્ડ મળ્યો છે..સૌજન્ય DB


Share

Related posts

ગોધરા: પોપટપુરા ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામા આવ્યો.

ProudOfGujarat

નેત્રંગ બંધનું એલાન કર્યું : મોવી ગામે માથાકુટ બાબતે બીટીપીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!