Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીનાં મોટાવાસ વિસ્તારમાં શિતળા માતાજીનાં મંદિરે સાદગીથી સાતમની ઉજવણી કરવામાં આવી.

Share

લીંબડીમાં મોટાવાસ વિસ્તારમાં 80 વર્ષથી પણ વધુ જુનું શિતળા માતાજીનુ મંદિર આવેલું છે ત્યારે આ મંદિરમાં દર વર્ષે સાતમે સવારથી જ ભક્તોની ભીડ જામી જતી હોય છે અને માતાજી ધુન, ભજન કીર્તનના નાદ આ મંદિરમાં મહિલાઓ દ્વારા ગુંજતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિસ્તારના લોકોએ સાદગીથી સાતમની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ રાખી તેમજ ફરજીયાત માસ્ક પહેરીને મહિલાઓ પુજા અર્ચના અને નિવેજ કરવા આવી રહી છે અને એકબીજાથી દુર રહીને શિતળા માતાજીને શ્રીફળ, કુલેર, મીઠાનો નૈવેધ ધરાવવામાં આવી રહ્યો છે અને અને શિતળા સાતમના દિવસે શિતળા માતાજી પાસે વિશ્વમાં કોરોનાનો કહેર મટે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચના LHS No.26 A બ્રિજ વિસ્તારનો રસ્તો 30 દિવસ માટે બંધ : રેલ્વે લૂપ લાઇન કામગીરીને પગલે ઝઘડિયા તરફનો માર્ગ ડાયવર્ટ : વાહનચાલકો માટે 2 વૈકલ્પિક રૂટ જાહેર

ProudOfGujarat

સ્ટેટ મોનિટરીંગ સેલનો રાજકોટમાં દરોડા : ૮૦ લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચમાં યોજાયેલાં રોજગાર મેળામાં 778 યુવાઓની સ્થળ પર પસંદગી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!