Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : જાહેરમાં માછલીનું વેચાણ કરતાં ધંધાર્થીઓનો મનપા દ્વારા સફાયો.

Share

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં માછલીનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના કતારગામના ફુલપાડા વિસ્તારમાં માછલી માર્કેટને લઈને અવારનવાર ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આજે મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા ગેરકાયદેસર રીતે માછલીનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરતના કતારગામમાં ફુલપાડા વિસ્તારમાં બી.આર.ટી.એસ રોડને અડીને આવેલ માછલી માર્કેટને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી છે. આજે સુરતના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જાહેર રોડ પર કતારગામના ન્યુસન્સ ગ્રુપ માછલીનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. સુરતના મનપા દ્વારા માછલીનું વેચાણ કરતા લોકો દ્વારા દુકાનના કોઈ પુરાવા રજૂ કર્યા ના હોય ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરીને દુકાનો સીલ કરી જાહેર રોડ પર માછલી વેચનારના સામાન જપ્ત કરવામાં આવ્યા હતા આ સાથે જ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીના જવાનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ:ચોરી કરવાના સાધનો સાથે રીઢા આરોપીઓને તવેરા ગાડી સાથે ઝડપી પાડતી દહેજ મરીન પોલીસ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં વધુ બે લોકો કોરોના વાયરસ સ્થિતિ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે જેમાં હાલ ભરૂચ જિલ્લામાં બહારથી આવીને સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 59 ઉપર પહોંચી છે.

ProudOfGujarat

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!