સુરેન્દ્રનગરમાં મહા શિવરાત્રી પર્વની ઉજવણી રૂપે માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમ રતનપર, સુરેન્દ્રનગર ખાતે આધ્યાત્મિક જન જાગરણ રેલીનું આયોજન મહાત્મા સુમીતાબાઈ જી, પ્રવીણા બાઇજી, કેશરી બાઇજી અને ભકત જનો દ્વારા કરવામાં આવ્યું હતું.
સામાજીક કાર્યકર અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુબોધ જોષી દ્વારા આધ્યાત્મિક જન જાગરણ રેલીને હરી જંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી ચોટીલા મુકામે પહોંચી અને આધ્યાત્મિક સભામાં ફેરવાઈ હતી જ્યાં માનવ ધર્મનાં સંત મહાત્મા પ્રવીણા બાઇજી, સુમીતાબાઈજી, સુલેખા બાઇજી, કેશરી બાઇજી, ભાવના બાઇજી અને સ્વેતા બાઇજી દ્વારા મહા શિવરાત્રી પર્વનું મહાત્મ્ય વિષે પ્રવચન આપી ભાવિકોને આધ્યાત્મિક રસથી ભાવવિભોર બનાવી આપ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement