Proud of Gujarat
INDIAGujarat

ઉમરપાડા : બિલવણ ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉન દરમિયાન 150 કુટુંબોને મફત અનાજ નહીં અપાતા લોકો મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવ્યા.

Share

ઉમરપાડા તાલુકાનાં બિલવણ ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉનનાં સમય દરમિયાન ત્રણ ગામના 150 કુટુંબોને સરકારી અનાજ મફત આપવામાં નહીં આવતા લોકો મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા.
ઉમરપાડા તાલુકાનાં બરડીપાડા હલધરી વડપાડા સહિત ત્રણ ગામના ૧૫૦ જેટલા આદિવાસી કુટુંબોને લોક ડાઉનનાં સમય દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલ મફત અનાજ સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા આપવામાં આવેલ નથી જેથી ત્રણ ગામના કુટુંબોને સરકારી અનાજ આપવાની માંગ સાથે થોડા દિવસ અગાઉ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ જવાબદાર સરકારનાં અધિકારીઓ અને દુકાનનાં સંચાલક મારફત આ કુટુંબોને અનાજ આપવામાં આવેલ નથી જેના કારણે સરકારી મફત અનાજથી વંચિત રહેલા ગરીબ પરિવારો પોતાના હકનાં અનાજ માટે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અનાજ તાત્કાલિક ધોરણે ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સંદર્ભમાં ઉમરપાડા તાલુકા કોંગ્રેસ અગ્રણી નારસિંગભાઈ વસાવાએ જણાવ્યું કે 150 કુટુંબોને પોતાના હકનું અનાજ નહીં મળે તો કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં જિલ્લા અને તાલુકા કક્ષા સુધી ન્યાય માટે લડત કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચના અંતરિયાળ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમો નેવે મૂકી દોડતા ભારદાર વાહનો આપી રહ્યા છે અકસ્માતને આમંત્રણ.

ProudOfGujarat

હલધરવાસ ૧૦૮ ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમા પ્રસ્તૃતિ કરાવી, મહિલાએ જોડાયા બાળકોને જન્મ આપ્યો

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે આવતીકાલે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!