Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

Share

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા દ્વારા કોવિડ -19 ની મહામારી કોરોનાની સામે રક્ષણ મળી રહે કોરોના વાયરસને ઝડપથી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે અને કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર પરિવારજનોને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત સહાય ચાર લાખ રૂપિયા કોરોના મૃત્યુ પરિવારજનોને મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમરપાડા તાલુકા મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ કાર્યક્રમ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવા, હિતેશ પટેલ, નટુભાઈ, અશોક, ધારાસીંગ, ભુપેન્દ્ર, સેમ્યુયેલ, સુલોચનાબેન પ્રિયંકા વસાવા વગેરે અને કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરા : ફ્રીડમ ગ્રુપ દ્વારા ૧૧૨૧ યુનિટ રકત દાન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ ન આપતા સરપંચ દ્વારા પગલાં ભરવાની સત્તા આપતા ઠરાવ કરવામાં આવ્યો છે.

ProudOfGujarat

હાંસોટનાં પંડવાઈ ગામ ખાતે સિંચાઈનાં પાણીના મામલે થયેલી મારામારીમાં 5 ને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!