Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : એમ.એસ યુનિવર્સિટી ખાતે લઠ્ઠાકાંડ મામલે એન.એસ.યુ.આઇ દ્વારા વિરોધ પ્રદર્શન.

Share

ગુજરાતના બોટાદ બરવાળા પંથકમાં લઠ્ઠાકાંડના મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગુજરાતને કલંકિત કરતી ઘટનામાં ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર ઉપર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. બોટાદ બરવાળા પંથકમાં મિથેઇલ આલ્કોહોલનો બિનઅધિકૃત વેપલો કરતાં અને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાઓની આ ઘટનાએ પોલ ખુલી છે.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ખાતે NSUI ના કાર્યકરો દ્વારા પાણીની પોટલીઓ બનાવી કેમિકલ લઠ્ઠાકાંડનો વિરોધ કરાયો હતો. બોટાદમાં થયેલા કેમિકલ લઠ્ઠાકાંડમાં ૪૦ થી વધુ લોકોના મોત મામલે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે NSUI ના કાર્યકર્તાઓએ પાણીની પોટલીઓ બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેમિકલ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવા પણ માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUI ના 6 જેટલા કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1917 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વરની કુસુમબેન કડકિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ફી લેવાનું બંધ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો

ProudOfGujarat

અંકલેશ્વર-પ્રેમીને પામવા માટે પ્રેમીકાએ આપ્યો હત્યાને અંજામ,ઘટનાને બતાવી આત્મહત્યા,આખરે આવી પહોંચી પોલીસના સકંજામાં અને થઇ ગયો સમગ્ર બનાવનો પર્દાફાશ.જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!