Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર, સામે આવ્યું આ કારણ.

Share

વડોદરા સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર મચી ગયો છે. એક કાચા કામનો કેદી છે જ્યારે બીજો પાકા કામનો કેદી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બન્ને કેદીના મોત બીમારીના કારણે થયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. રાવપુરા પોલીસ મથકે બંને કેદીના મોત અંગે નોંધ કરાઈ છે. આ ઉપરાંત ACP મેઘા તેવારે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી છે. જેલ અધિકારીઓ પાસેથી બંને કેદીઓનો રેકોર્ડ અને મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. બંનેની બેરેક અને અન્ય બાબતો અંગે ACP મેઘા તેવારે વિગતવાર માહિતી મેળવી છે.

Advertisement

Share

Related posts

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે તમામ દર્દીઓ માટેની રેગ્યુલર ઓ.પી.ડી, એડમિશન અને ઇમર્જન્સી સેવાઓ શરુ થઇ ગયેલ છે

ProudOfGujarat

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા હિન્દુ હિત રક્ષા સમિતિની ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

રાજપીપળા : રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનાં સારા સ્વાસ્થ માટે નાંદોદનાં ધારાસભ્ય પી.ડી. વસાવાએ ખાસ પૂજા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!