Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર, સામે આવ્યું આ કારણ.

Share

વડોદરા સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર મચી ગયો છે. એક કાચા કામનો કેદી છે જ્યારે બીજો પાકા કામનો કેદી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ બન્ને કેદીના મોત બીમારીના કારણે થયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. રાવપુરા પોલીસ મથકે બંને કેદીના મોત અંગે નોંધ કરાઈ છે. આ ઉપરાંત ACP મેઘા તેવારે સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી છે. જેલ અધિકારીઓ પાસેથી બંને કેદીઓનો રેકોર્ડ અને મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. બંનેની બેરેક અને અન્ય બાબતો અંગે ACP મેઘા તેવારે વિગતવાર માહિતી મેળવી છે.

Advertisement

Share

Related posts

મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ નવા વર્ષે શુભેચ્છા મુલાકાત આપી આશીર્વચન આપ્યા.

ProudOfGujarat

કોમી એકતાના પ્રતિક એવા કોઠીયા પાપડીના મેળામા માનવ મેહરામળ ઉમટી પડયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!