Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોત થતાં ખળભળાટ.

Share

વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું બ્યુટીફીકેશનનું કામ જળચર જીવો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા સુરસાગર તળાવમાં એક તરફ શિવજીની મૂર્તિને સોનાથી મઢવાનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન ઓક્સિજનના અભાવે કે અન્ય કોઇ કારણસર જળચર જીવો મરી રહ્યા છે.

અગાઉ સુરસાગર તળાવમાં પાંચ કાચબાના મૃત્યુ થયા હતા. જેના પોસ્ટમોર્ટમ દરમિયાન કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. ત્યારબાદ વારંવાર માછલીઓના મૃત્યુ ના બનાવો બની રહ્યા છે.

આજે ફરી એકવાર તળાવના કિનારે માછલીઓના મૃતદેહ નજરે પડતા જીવદયાપ્રેમીઓ સમસમી ઉઠયા હતા. આ સાથે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ હતી. કોર્પોરેશનનું તંત્ર સત્વરે નહીં જાગે તો રહ્યા સહ્યા જળચર જીવો પણ મૃત્યુ પામે તેવી દહેશત જીવદયાપ્રેમીઓ સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં આમોદ તાલુકાનાં વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી..

ProudOfGujarat

બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં પાંચ આરોપીઓની અટકાયત….

ProudOfGujarat

પોલીસ ધ્વારા કથિત આરોપીઓને પોલીસ ધ્વારા હંટર માર જાણો ક્યા…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!