Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોત થતાં ખળભળાટ.

Share

વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું બ્યુટીફીકેશનનું કામ જળચર જીવો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા સુરસાગર તળાવમાં એક તરફ શિવજીની મૂર્તિને સોનાથી મઢવાનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન ઓક્સિજનના અભાવે કે અન્ય કોઇ કારણસર જળચર જીવો મરી રહ્યા છે.

અગાઉ સુરસાગર તળાવમાં પાંચ કાચબાના મૃત્યુ થયા હતા. જેના પોસ્ટમોર્ટમ દરમિયાન કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. ત્યારબાદ વારંવાર માછલીઓના મૃત્યુ ના બનાવો બની રહ્યા છે.

આજે ફરી એકવાર તળાવના કિનારે માછલીઓના મૃતદેહ નજરે પડતા જીવદયાપ્રેમીઓ સમસમી ઉઠયા હતા. આ સાથે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ હતી. કોર્પોરેશનનું તંત્ર સત્વરે નહીં જાગે તો રહ્યા સહ્યા જળચર જીવો પણ મૃત્યુ પામે તેવી દહેશત જીવદયાપ્રેમીઓ સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા ના તવરા ગામે 8 ફુટ લાબો અંજગર પકડયો

ProudOfGujarat

મહેમદાવાદ ખાતે દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ચાસવડ દુધ ડેરીની વ્યવસ્થાપક સમિતિએ ૮૦૦૦ દુધ ઉત્પાદકોને માસ્ક-સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!