Proud of Gujarat
GujaratFeaturedINDIA

હરિધામ સોખડાનો પ્રબોધ સ્વામીના ગયા બાદ પણ વિવાદ યથાવત.

Share

વડોદરાના સોખડા હરિધામમાં પ્રબોધ સ્વામી સોખડા પરિસર છોડ્યા બાદ પણ વિવાદ યથાવત રહ્યો છે, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને સરળ સ્વરૂપ સ્વામી પર સાધકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

પૂર્વ સાધકોએ હરિધામના વર્તમાન સંતો પર ગંભીર આરોપો લગાવ્યા છે સાધકોનું કહેવું છે કે કૃતાર્થ સાપોવાડીયા એ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે અહીંના સંતો દ્વારા માનસિક, શારીરિક અત્યાચાર કરવામાં આવે છે જેમાં પ્રેમ સ્વરૂપ જૂથના સરલ સ્વામીએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પણ એક સમયે કર્યું હતું. સુરતની મહિલાઓ સાથે પણ પ્રેમ સ્વરૂપ સ્વામીના સંબંધો છે તેમજ હરિધામ સોખડાના સંતો દ્વારા સાધકોને સેવા બાબતે પણ માનસિક ત્રાસ આપવામાં આવે છે. આથી હરિધામ સોખડાના બે સાધકોએ પોલીસ ફરિયાદ નોંધાવી પણ તે વિરુદ્ધ કાર્યવાહી કરી તેઓને ન્યાય મળે તેવી પોલીસ વિભાગ સમક્ષ માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ગામડાના જીવનથી જીવનભરના સંબંધો સુધી – કૃષ્ણા શ્રોફની છોરિયાં ચલી ગાંવ સુધીની યાદગાર સફરનું સુંદર વર્ણન

ProudOfGujarat

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં NSS વિભાગ દ્વારા ” કોરોના ભગાડી કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી.

ProudOfGujarat

ગ્રીષ્મા હત્યા કેસમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહીલા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુવતીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!