Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : લહેરીપૂરા ગેટના સમારકામમાં એક વર્ષથી વધુ સમય છતાં કામગીરી પૂરી ન થતા મેયરની આર્કિઓલોજી વિભાગને ફોજદારી ફરિયાદની ચીમકી.

Share

વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા પૈકી લહેરીપૂરા ગેટ નું સમારકામ 75 લાખના ખર્ચે કરાયું હતું ત્યારે બાદ ગેટ ધ્વસ્ત થતા હજી સમારકામ થયું નથી ત્યારે મેયર દ્વારા આર્કિયોલોજી સામે ફોજદારી કાર્યવાહી ની ચીમકી ઉચ્ચારી છે.

દોઢ વર્ષ અગાઉ પાલિકા દ્વારા વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકીના લહેરીપૂરા ગેટનું સમારકામ 75 લાખના ખર્ચે આર્કિયોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમ વરસાદમાં જ ગેટની છત ધરાશાયી થઈ ગઈ હતી. જ્યાર બાદ મેયરે ગેટની મુલાકાત લઈ આર્કિયોલોજી વિભાગને જાણ કરી હતી પરંતુ એક વર્ષ છતાં ગેટનું સમારકામ થયું નથી જેને લઈને હવે પાલિકા આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. મેયર કેયુર રોકડીયાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો બિસમાર ગેટને કારણે કોઈ ઇજાગ્રસ્ત થયું તો જવાબદારી પુરાતત્વ વિભાગ ની રહેશે અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે લાખોના ખર્ચ બાદ પણ આર્કિયોલોજી વિભાગ સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી રહી છે પરંતુ કોઈ રાહદારી ભોગ બનશે ત્યારે તેની જવાબદારી કોણ લેશે તે સવાલ છે.


Share

Related posts

નડિયાદ : “૩૦ મી રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ” માં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

દ્વિચક્રી વાહનોમાં GJ-15- DB તેમજ ચારચક્રી વાહનોમાં GJ-15- CH સીરીઝમાં બાકી રહેલા પસંદગીના નંબર માટે હરાજી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!