Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : આદિત્ય બિરલા ગ્રાસિમનાં પરપ્રાંતીય કામદારોને પગાર નહીં મળતા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી.

Share

વાગરાની વિલાયત જીઆઇડીસી માં આવેલ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતાં કામદારોને કંપની તેમજ કામદારો પાસેથી પગાર નહીં મળતા કામદારોને માથે હાથ દેવાનો વાળો આવ્યો છે. કોરોના સંકટ કરતાં પણ મોટું સંકટ કામદારોના માથે આવી પડયું છે. લોકડાઉનમાં બચતનાં નાણાં ખર્ચાઈ ચૂક્યા છે તો કંપની તરફથી એપ્રિલ મહિનાનો પગાર ચૂકવાયો નથી જેથી મજૂરોમાં રોષ જોવા મળી રહયો છે. ત્રીજા ચરણનાં લોકડાઉનના અમલીકરણ દરમિયાન ઉદ્યોગોને શરતોને આધીન ખોલવાની મંજૂરી આપી હતી. સાથે જ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં શ્રમિક તેમજ ગરીબ વર્ગનાં મજૂરોનું માનવતાની દ્રષ્ટિએ વેતન નહીં કાપવાની અપીલ કરી હતી. તેમ છતાં કંપની સત્તાધીશો તેમજ કોન્ટ્રાકટરોએ હજુ સુધી વેતન નહીં ચૂકવતા કામદારોને ભારે મુસીબતમાં મૂકાવાનો વારો આવ્યો છે. કામદારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. કંપની સત્તાધીશો દ્વારા પેમેન્ટની તત્કાળરૂપે ચુકવણી કરવામાં તેવી માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરાઈ..!!

ProudOfGujarat

ભરૂચમાં મોબાઈલ ચોરીની ઉપરા-છાપરી અનેક ઘટનાઓ સામે આવી, પોલીસે મામલે તપાસ શરૂ કરી

ProudOfGujarat

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!