ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે સુરતનાં દાતા અલ્પેશભાઇ ગજેરા ભક્તિ ગ્રુપ તરફથી જીવન જરૂરિયાતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિ રહેતા તેમના હસ્તે આ કીટો જરૂરિયાત મંદ પરિવારોને આપવામાં આવી હતી. વાડી ગામનાં સાત જેટલાં ફળીયાનાં 600 જેટલાં જરૂરિયાતમંદ પરિવારો ઉપરોક્ત અનાજની કીટો અર્પણ કરવામાં આવી હતી. તેમજ વાડી ગામના બાકી રહેલા અન્ય પરિવારો માટે પણ દાતા અલ્પેશભાઇ ગજેરા એ કીટો આપવાની જાહેરાત કરી હતી. વાડી ગામનાં સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવા, તા.પંચાયતનાં સભ્ય નરપત ભાઇ વસાવા વગેરે આગેવાનોએ કીટનું વિતરણ કર્યું હતું તેમજ દાતા અલ્પેશભાઇ ગજેરાનો આભાર માન્યો હતો.
Advertisement