Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે સુરતનાં ભક્તિ ગ્રુપ તરફથી 600 કીટોનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે સુરતનાં દાતા અલ્પેશભાઇ ગજેરા ભક્તિ ગ્રુપ તરફથી જીવન જરૂરિયાતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિ રહેતા તેમના હસ્તે આ કીટો જરૂરિયાત મંદ પરિવારોને આપવામાં આવી હતી. વાડી ગામનાં સાત જેટલાં ફળીયાનાં 600 જેટલાં જરૂરિયાતમંદ પરિવારો ઉપરોક્ત અનાજની કીટો અર્પણ કરવામાં આવી હતી. તેમજ વાડી ગામના બાકી રહેલા અન્ય પરિવારો માટે પણ દાતા અલ્પેશભાઇ ગજેરા એ કીટો આપવાની જાહેરાત કરી હતી. વાડી ગામનાં સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવા, તા.પંચાયતનાં સભ્ય નરપત ભાઇ વસાવા વગેરે આગેવાનોએ કીટનું વિતરણ કર્યું હતું તેમજ દાતા અલ્પેશભાઇ ગજેરાનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ABVP વલસાડ દ્વારા પોલીસના સ્ટાફ ને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા 29153 મતથી આગળ…

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો બિનહરીફ વરણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!