Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…

Share

કોરોના સંક્રમિત થયેલા વાલીયા તાલુકાના સોડગામ ગામના સેવાભાવી લોકપ્રિય સરપંચ રમેશ વસાવાનું છ દિવસની સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સ્થાનિક ગ્રામજનો અને મિત્ર વર્તુળે આઘાતની લાગણી અનુભવી હતી.
સોડગામના સરપંચ રમેશભાઈ છીતુભાઈ વસાવા ભાજપના સક્રિય કાર્યકર હતા અને સતત બે ટર્મથી તેઓ સોડગામ ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજેતા બની લોકપ્રિય સરપંચ બન્યા હતા છેલ્લા છ દિવસથી તેઓ કોરોના સંક્રમિત થયા હતા જેથી ભરૂચ સિવિલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમનું અવસાન થતાં પરિવારજનોએ અને ગ્રામજનોએ મોટો આંચકો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના નવા સાહસ નીલકંઠ ઓર્ગેનિકસ પ્રા.લી- યુનિટ-૩ (ફાર્મા ડિવીઝન) નું ઉદધાટન કરાયું

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ પક્ષોનાં ઉમેદવારોએ ઉમેદવારી પોતાના સમર્થકો સાથે નોંધાવી.

ProudOfGujarat

વર્ષો ની પરંપરા મુજબ કોમી એકતાના સ્તંભ સમાન મોટા મિયા માંગરોળ ની ઐતિહાસિક ગાદી ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!