Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયાના ડુંગરી ગામ પાસેની કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડતા મામલે જી.પી.સી.બી એ ગામ તળાવ અને ખેતરોના પાણીનું સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

Share

તાજેતરમાં જ વાલીયા તાલુકાનાં ડુંગરી ગામ નજીક આવેલ કંપની દ્વારા કંપનીનું પ્રદુષિત પાણી ગામના તળાવ અને ખેતરોમાં છોડી મુકવામાં આવ્યું હતું. જેને પગલે વાલીયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા અને આગેવાનો તેમજ ગ્રામજનોએ તાત્કાલીક સ્થળ પર દોડી જઈ તપાસ કરી હતી. જે અંગે આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમને જાણ કરી હતી. જે બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગતરોજ અંકલેશ્વર જી.પી.સી.બી ની ટીમે ડુંગરી ગામના ગામ તળાવ અને ખેતરોમાં ભરાયેલ પ્રદુષિત પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ આઠ જેટલા સાઇબર ફ્રોડને સાયબર ક્રાઇમ સ્કોડે ઝડપી પાડયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે બાપા સીતારામ મઢુલી ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!