Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ નજીક હાઇવે પરથી રૂ. 87,800 નાં દારૂ સાથે પોલીસકર્મી પકડાયો.

Share

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી પીઆઇ જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઇ રૂપસિંગ નંદરિયા, કોન્સ્ટેબલ હરદેવસિંહ, આશિષભાઈ અને યોગેશભાઈ હાઇવે પરથી પોલીસકર્મીની દારૂ સાથેની કાર પકડી પાડી છે.

દમણથી વલસાડમાં દારૂની હેરાફેરી થતી હોય એલસીબી પોલીસ સતત નાકાબંધી કરતી હોય છે. જેમાં ગત રાત્રે પોલીસે એક ભરૂચના પોલીસકર્મીને જ રૂ. 87,800 ના દારૂના જથ્થા પાસે પકડી પાડ્યો હતો. જેની સાથે પોલીસે તેની સાથે સવાર તેની પત્નીની પણ અટકાયત કરી હતી. વલસાડ ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી પીઆઇ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઇ રૂપસિંગ નંદરિયા, કોન્સ્ટેબલ હરદેવસિંહ, આશિષ અને યોગેશે હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતુ. એ દરમિયાન તેમણે વાપીથી આવતી એક કાર નં. જીજે-16-સીબી-5412 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી એક પોલીસકર્મી દિપક રમણ પરમાર ઉતર્યો હતો. તે ભરૂચ એસપી ઓફિસમાં રજિસ્ટ્રી શાખામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતુ. આ સાથે તેની પત્ની મમતાબેન અને 6 વર્ષનું બાળક પણ હતુ. પોલીસે તેની કાર તપાસતા તેમાંથી દારૂ અને બિયરની રૂ. 87,800 ની બોટલો મળી આવી હતી. આખો પોલીસ પરિવાર બુટલેગરના રોલમાં આવી જતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. એલસીબીએ આ સંદર્ભે વલસાડ રૂરલ પોલીસ મથકે ભરૂચના પોલીસકર્મી દિપક અને તેની પત્ની મમતા વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પીરામણ ગામ નજીક અંડરબ્રિજ પાસે ટ્રક ફસાઈ

ProudOfGujarat

ચાંચવેલના શખ્સના લમણે બંદૂક મુકી માર મારી 70 હજારની લૂંટ કરી 6 જણા ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!