Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ)ની દ્વિતિય પુણ્યતિથિની વિરમગામમાં ઉજવણી કરાઇ

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના પોપટચોકડી પાસે પંચમુખી હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ મંદિરના સંત અને સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ) ભાદરવા સુદ બીજના રોજ 2017 માં બ્રહ્મલીન થયા હતા. આ સંત વિરમગામના પ્રેરણાદાયી સંત હતાં તેમના દેવલોક પછી વિરમગામને એક સાચા સંતની ખોટ પડી હતી. આ સંતના હસ્તે ઘણા સેવાના કાર્યો થયેલા છે. વિરમગામમાં ગરીબોને દાન કરવું, પશુપક્ષીની સેવા,ગાયોની સેવા કરવી અને ધર્મનું જતન કરતા આ મહાન સંતની રવિવારે બીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે ૮.૩૦ કલાકે રામધૂન અને સંત સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

કોરોના વાઇરસનાં લોકલ ટ્રાન્સમિશનનાં ભય વચ્ચે ગોધરા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ એસ.પી. ડો.લીના પાટીલની જિલ્લામાં સફળતાપૂર્વકની સરાહનીય કામગીરી, વર્ષ દરમ્યાન કર્યા અનેક દાખલા સ્વરૂપ કાર્યો, તો ગુનેગારોમાં બેસાડયો કાયદાનો ખૌફ

ProudOfGujarat

રાજપીપળા : ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાન વિદ્યાર્થીનું નામ ઓનલાઇન રિઝલ્ટમાં પણ નહીં આવતાં યુવકે કેનાલમાં ભૂસકો મારી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!