Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખનું બાબાસાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માન કરાયું.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સ્વૈચ્છિક સંસ્થા વિજયભારતીના પ્રમુખ રતિલાલ રોહિતને ડો.બાબાસાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.નવચેતન યુવક મંડળ સિમોદ્રા દ્વારા કોસંબા એપીએમસી ખાતે આંબેડકર જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ એક કાર્યક્રમમાં જશુભાઇ રોહિત, માજી મંત્રી ગણપતભાઇ વસાવા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સામાજિક ક્ષેત્રે વિવિધ કામગીરી દ્વારા સેવા પ્રદાન કરનાર ૨૦ જેટલા મહાનુભાવોને ડો.બાબા સાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ઝઘડીયા તાલુકાની વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિતનું પણ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : હુસેનિયા સોસાયટીમાં સામાન્ય બાબતે બે જૂથ બાખડયા, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

જંબુસર તાલુકાના મહાપુરા ગામ ખાતે સીમમા એક વિધ્વા ની સનસનાટી ભેર થયેલ હત્યા જો કે ગણતરી ના સમયમા હત્યારો ઝડપાયો જાઈ તેવી સંભાવના

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. તમામ કામો સર્વાનુમતે મંજૂર, શહીદો માટે રૂપિયા ૫ લાખ સહાયની જાહેરાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!