Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપારડી ભાલોદ રોડ પર ખાડીના વળાંક નજીક પડેલ ખાડાથી અકસ્માતની દહેશત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર માધુમતિ ખાડી નજીકના વળાંક પર મસમોટો ખાડો પડતા અકસ્માતની દહેશત ઉભી થઇ છે. આને લઇને વણાકપોર, ભાલોદ પંથકના ગામોના વાહનચાલકો ચિંતિત બન્યા છે. આ માર્ગ પરનો ખાડો મોટો હોવાથી વાહનચાલકોએ ખાડાથી બચીને ચાલવું પડે છે. આને લઇને ખાડા નજીક માર્ગ જાણે સિંગલ ટ્રેક જેવો થઇ ગયો છે. આને લઇને સામસામેથી આવતા વાહનો ટકરાવાની દહેશત પણ જોવા મળી રહી છે. જાણવા મળ્યા મુજબ આ ખાડો લાંબા સમયથી પડ્યો છે, અને ખાડામાં પાણીનો ભરાવો થતા ખાડો મોટો બન્યો છે. ભાલોદ તરફના ગ્રામજનોને અવારનવાર રાજપારડી ઝઘડીયા અંકલેશ્વર ભરૂચ તરફ આવવા જવાનું થાય છે. કોઇ દ્વિચક્રી કે અન્ય વાહન રાત્રી દરમિયાન ખાડામાં પડશે તો જાનહાની થવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે તાકીદે આ ખાડો પુરીને વાહનચાલકોને પડતી હાલાકિ નિવારાય તે જરૂરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ! આ રીતે લાઈવ જોઈ શકશો

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

દિવાળી નજીક આવતા ઝઘડીયા તાલુકાનાં બજારોમાં તેજીનાં એંધાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!