Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાવાગોર દરગાહનાં ઇતિહાસમાં પ્રથમવાર શબેબરાતનાં તહેવારમાં દરગાહમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી.

Share

કોરોનાના વધી રહેલા પ્રકોપને લઇને દેશ વ્યાપી લોકડાઉન અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ઠેરઠેર અમલ થઇ રહ્યો
છે.ધાર્મિક સ્થળોએ પણ ચારથી વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ છે.આજે મુસ્લિમોનો શબેબરાતનો તહેવાર છે.ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોરની દરગાહના ઇતિહાસમાં આજે પ્રથમવાર શબેબરાતના તહેવારમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી જોવા મળી.હાલમાં પ્રવર્તમાન સરકારી જાહેરનામાને અનુલક્ષીને દરગાહની બહાર વહિવટી તંત્ર દ્વારા જાહેરનામા મુજબ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ દર્શાવતી સુચના આપતું બોર્ડ મુક્યુ છે.અને તેમાં જણાવાયા મુજબ જે કોઇ વ્યક્તિ સરકારી જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસર પગલા ભરાશે એમ જણાવાયું છે.સામાન્ય દિવસોમાં દરરોજ શ્રધ્ધાળુઓથી ભરપુર રહેતી સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ તેના ઇતિહાસમાં આજે પ્રથમવાર શ્રધ્ધાળુઓની હાજરી વિના જોવા મળી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતને પગલે તાપી-ક૨જણ લીક યોજના માટે ચાલુ વર્ષના બજેટ રૂા.૧૩૦ કરોડ મંજૂર ક૨તી રાજય સ૨કાર

ProudOfGujarat

અંકલેશ્વરની કડકીયા કોલેજમાં T.y B.s.c માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોલેજ તરફથી ૧૦ હજારની ઉઘરાણી કરાઈ હોવાના આક્ષેપ સાથે એન.એસ.યુ.આઇ. દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

સુરતનાં અમરોલીમાં BRTS બસે મહિલાને અડફેટે લેતા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!