Proud of Gujarat
INDIAFeaturedGujarat

કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નીતી બનાવવા ઝઘડિયા મામલતદારને આવેદન અપાયું.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ કરાર આધારિત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓએ ઝઘડિયા મામલતદારને આવેદન આપીને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપીને યોગ્ય પગાર નિતી બનાવાય તેવી માંગ કરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ જીલ્લા કરાર આધારિત આઉટસોર્સિંગ રોજમદાર મહાસંઘના નેજા હેઠળ ઝઘડિયા તાલુકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ ઝઘડિયા મામલતદારને આપેલ આવેદનમાં માંગ કરી હતી કે ગુજરાત સરકારની અંદર કામ કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા સમાન કામ વેતન અંતર્ગત કાયમી કર્મચારીઓને મળતા લાભ આપવામાં આવે. ઉપરાંત કાયમી કર્મચારીઓને મળતા વિવિધ લાભ જેવા કે રજાઓ, મેડિકલ, જીવન વીમાના લાભ આપવા પણ માંગ કરી હતી. આવા કર્મચારીઓની સેવાપોથીમાં તમામ લાભોની નોંધ લેવામાં આવે તેવી માંગ કરીને આવા તમામ કર્મચારીઓને સરકારના પ્રવાહમાં સમાવી લેવાય એવી પણ રજુઆત આવેદનમાં કરવામાં આવી હતી. તેમજ આ બધા લાભ સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા તમામ કરાર આધારિત આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારીઓને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય રાજ્યો દ્વારા તેમના આવા કર્મચારીઓને વિવિધ લાભો આપવા નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જણાવીને ગુજરાત રાજ્યના આવા કર્મચારીઓને પણ રાજ્ય સરકાર દ્વારા આ લાભો આપવામાં આવે તેવી રજુઆત મામલતદારને આપેલ આવેદનના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : ૭૪ વર્ષીય સુલભાબેને પોતાની જીવનમૂડીમાંથી રૂ. પાંચ લાખનો ચેક સૈનિકોના કલ્યાણ માટે કલેક્ટરને અર્પણ કર્યો.

ProudOfGujarat

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની તા. 17 એ ઉજવણી કરાશે.

ProudOfGujarat

પોરબંદર : કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતાં 4 યુવાનોનાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!