Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાથીજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગ‍ામે નવી વસાહત રુમાલપરા રોડ પર આવેલ ભાથીજી મંદિરે તા.૧૨ મીને મંગળવારના દેવ દિવાળીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.ઝઘડીયા તાલુકા ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ સંજયભાઇ વસાવાના જણાવ્યા મુજબ ભાથીજી મહારાજના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તા.૧૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા ,સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ, ૫-૩૦ કલાકે ભોજન પ્રસાદી તેમજ રાત્રે ૯ કલાકે રાસ ગરબાના કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમમાં ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,ઝઘડીયા ભાજપા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા,રણજિતભાઇ વસાવા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે એમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં પૈસાની લેવડદેવડમાં મિત્રને કુવામાં ધક્કો મારી હત્યા કરનાર આરોપી ઝડપાયો

ProudOfGujarat

મોબાઈલ અને બાઇક લૂંટના ગુન્હામાં ત્રણ આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પેવર બ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!